પોસ્ટ્સ

Gajera surname લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Information about Gajera surname

ગજેરા શાખ વિષેની માહીતી સૌરાષ્ટ્રના લેઉવા પટેલો મા લગભગ ૮૦૦ થી વધારે અટકો સામેલ છે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મા મુખ્યત્વે ત્રણ ફાંટા જોવા મળે છે. જેમા ૧- "હાલારી"  જેના વડવાઓ ચરોતર તેમજ આસપાસના વિસ્તારમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથક મા વસવાટ કર્યો હોવાથી હાલારી પટેલ તરીકે ઓળખાયા. ૨ -"ગોલવાડીયા" પટેલના વડવાઓ એ ચરોતર તથા ભાલ વિસ્તારમાં થી ગોહીલવાડમાં  ( હાલ ભાવનગર જીલ્લો ) વસવાટ કર્યો હોવાથી તે લોકો ગોલવાડીયા તરીકે ઓળખાયા. ૩-"ગુજરાતી" પટેલ જે મધ્ય ગુજરાતમાં થી  સૌરાષ્ટ્રમા વસવાટ કર્યો હોવાથી ગુજરાતી પટેલ કહેવાયા. મુળતો બધા પટેલો સમાન છે. આ ફક્ત જુના વખતની પ્રાંત મુજબ એક ઓળખ છે. મિત્રો માનવોનુ સ્થાંળતર અનાદી કાળથી ચાલતું આવ્યુ છે, સ્થાળંતર માટે મુખ્ય ભુમિકા હોય છે રોજીરોટી.. અન્યમાં કોઈ રોગચાળાના કારણે પણ સ્થાંળતર થતું હોય છે, ત્યાર પછીના કારણમા કોઇ સાથે વેરઝેર હોય તો પણ શાણા માણસો મુળ જગ્યાથી.. દુર વસવાટ કરતા હોય છે. જેમકે શ્રી કૃષ્ણ ભગવાને પણ મથુરા છોડી અને સૌરાષ્ટ્રના દ્રારકામા વસવાટ કર્યો હતો. એવાજ કોઈ કારણોસર ગજેરા અટક ના વડવાઓ...