પોસ્ટ્સ

જૂન, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Information about Gajera surname

ગજેરા શાખ વિષેની માહીતી સૌરાષ્ટ્રના લેઉવા પટેલો મા લગભગ ૮૦૦ થી વધારે અટકો સામેલ છે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મા મુખ્યત્વે ત્રણ ફાંટા જોવા મળે છે. જેમા ૧- "હાલારી"  જેના વડવાઓ ચરોતર તેમજ આસપાસના વિસ્તારમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથક મા વસવાટ કર્યો હોવાથી હાલારી પટેલ તરીકે ઓળખાયા. ૨ -"ગોલવાડીયા" પટેલના વડવાઓ એ ચરોતર તથા ભાલ વિસ્તારમાં થી ગોહીલવાડમાં  ( હાલ ભાવનગર જીલ્લો ) વસવાટ કર્યો હોવાથી તે લોકો ગોલવાડીયા તરીકે ઓળખાયા. ૩-"ગુજરાતી" પટેલ જે મધ્ય ગુજરાતમાં થી  સૌરાષ્ટ્રમા વસવાટ કર્યો હોવાથી ગુજરાતી પટેલ કહેવાયા. મુળતો બધા પટેલો સમાન છે. આ ફક્ત જુના વખતની પ્રાંત મુજબ એક ઓળખ છે. મિત્રો માનવોનુ સ્થાંળતર અનાદી કાળથી ચાલતું આવ્યુ છે, સ્થાળંતર માટે મુખ્ય ભુમિકા હોય છે રોજીરોટી.. અન્યમાં કોઈ રોગચાળાના કારણે પણ સ્થાંળતર થતું હોય છે, ત્યાર પછીના કારણમા કોઇ સાથે વેરઝેર હોય તો પણ શાણા માણસો મુળ જગ્યાથી.. દુર વસવાટ કરતા હોય છે. જેમકે શ્રી કૃષ્ણ ભગવાને પણ મથુરા છોડી અને સૌરાષ્ટ્રના દ્રારકામા વસવાટ કર્યો હતો. એવાજ કોઈ કારણોસર ગજેરા અટક ના વડવાઓ...

ડાયાબિટીશ મટી શકે છે...!

ડાયાબિટીસ મટી શકે છે...! અને હાઈ બ્લડ પ્રૅશર પણ ભાગી જાય છે. મારા એક દોસ્તને  આજથી પાંચેક વરસ પહેલા  લગભગ 300 જેટલી ડાયાબિટીસ આવી હતી. અને સાથે high BP પણ ખરુ, ઉપરનુ 170 તથા નીચેનુ લેવલ 100 જેટલુ અધધ...(યાદ રહે high BP મા ઉપરનુ દબાણ કદાચ 170-180 જેટલુ હોયતો એટલુ બધુ ટેન્શન જેવું ના હોય. જોકે ખતરોતો ખરોજ, પરંતુ નીચેનુ લેવલ 100 ઉપર જાય એટલે ખતરનાક ગણાય.એમણે ત્યાર બાદ બીપીની દવાય ચાલુ કરી.  એ સમયે લગભગ એમની ઉમર  ૩૫ વરસ ની હતી. ૩૦૦ જેટલી સુગર આવી એટલે સ્વભાવિક છે કે  ડાયા બિટીશની દવા ચાલું કરવીજ પડે, એમને પાછો વાર તહેવાર અને લગ્ન પ્રસંગ દરમિયાન ખાવાનો ક્ન્ટ્રોલ ના હોય. આમતો એમને ગળામણ પહેલેથીજ વધારે વ્હાલુ ખરુ. એટલે પ્રસંગોપાત પુરુ પેટ ભરીને દાબી જાય. ' એમ સમજો કે એમને દોડવું હોય અને ઢાળ મળે.' આમ તો રોજ સવાર-સાંજ  ચાલવા પણ જાય.આખા દિવસ દરમિયાન ચાર પાંચ કિલોમીટર જેટલું અંતર કાપી આવે. પણ છતાય જમ્યા બાદ સુગર લૅવલ 150-170 જેટલુ ક્યારેક તો 200  પણ આવે. પ્રંસગોપાત દાબી લેવાના કારણે....!તથા ભુખ્યા પેટે લેવલ 80-90 જેટલુ આવતુ હતુ. ક્યારેક વઘારે  પણ ...